મુંબઇ: કાજોલ અને અજય દેવગણને બોલીવુડના શાનદાર કપમાં ગણવામાં આવે છે. તેમને એક પુત્ર યુગ અને પુત્રી ન્યાસા છે. આમ તો ન્યાસા અજય દેવગણની આંખનો તારો છે, પરંતુ જ્યારે સીક્રેટ શેર કરવાની વાત હોય છે તો ન્યાસા પોતાની મમ્મી કાજોલ યાદ આવે છે. આ વાત અમે નહી પરંતુ ખુદ કાજોલ કહેતી જોવા મળી છે. કાજોલે આ વાતનો ઉલ્લેખ કરીના કપૂર ખન્નાના રેડિયો શો પર કહી હતી. કાજોલ આગળ જણાવે છે કે તે એક હેલ્દી રિલેશશિપમાં વિશ્વાસ ધરાવે છે, એટલા માટે તે ક્યારેય પણ ન્યાસા અને યુગને કંટ્રોલ કરતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાજોલ મજાક કરતાં કહે છે કે તે થોડી ગરમ મિજાજની છે. કાજોલ શો દરમિયાન જણાવ્યું કે જો ક્યારેય તેમના બાળકોને લવ લાઇફની કોઇ એડવાઇઝ લેવી પડશે તો તેમની પુત્રી મારી પાસે આવશે ને પુત્ર યુગ પાપા અજય દેવગણ પાસે જશે. કાજોલે એ પણ જણાવ્યું કે અજય દેગગણ ખૂબ પ્રોટેક્ટિવ પાપા છે અને ન્યાસા ક્યારેય પોતાના પાપા સાથે વાત કરશે નહી. 


કાજોલે આગળ જણાવ્યું કે જો ક્યારેય ન્યાસાનો બોયફેન્ડ થયો તે ક્યારે તેના પપ્પાને નહી જણાવે કારણ કે જો ક્યારે ન્યાસા પોતાના પપ્પાઅને બોયફ્રેન્ડ વિશે જણાવશે તો તે એવા વ્યક્તિ છે જે બંદૂક લઇને ઉભા થઇ જશે અને કહેશે કે.. ક્યાં છે તે? ક્યાંનો છે તે? ન્યાસા પોતાની મા થી વધુ પિતા અજય દેવગણની નજીક છે. 


અજય પોતાની પુત્રીને લઇને વધુ વિચાર છે. જેમ દરેક પિતા કરે છે. કાજોલ તે પેરેન્ટસમાં પોતાને સામેલ નથી કરતી જે પોતાના બાળકો પર નિયંત્રણ રાખે છે. કાજોલનું માનવું છે કે તેમની મા તનુજા પણ કંઇક એવી હતી અને તે અલગ સ્થિતિમાં મોટી થઇ છે. એટલા માટે કાજોલને બાળકોને નિયંત્રણ રાખવું ઠીક લાગતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube