નવી દિલ્હી: દક્ષિણની ફિલ્મ અભિનેત્રી સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યનો સાત જન્મનો સંબંધ આખરે 4 વર્ષમાં જ તૂટી ગયો. આ વાતનો ખુલાસો સામંથાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર કર્યો છે. લાંબા સમયથી બંનેના ડિવોર્સ અંગે મીડિયામાં અટકળો થઈ રહી હતી. પરંતુ હવે અભિનેત્રીનું નિવેદન સામે આવ્યું છે. રિએક્શન આપનારા લોકોમાં પહેલું નામ કંગના રનૌતનું છે. કંગના રનૌતે સામંથી પ્રભુ અને નાગા ચૈતન્યના તલાક પર વ્યંગ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાએ કર્યો વ્યંગ
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે 'આ સાઉથનો અભિનેતા, જેણે તેની પત્નીને અચાનક ડિવોર્સ આપી દીધા. તેચાર વર્ષથી તેની સાથે લગ્નના બંધનમાં હતો અને 10 વર્ષ સુધી રિલેશનશીપમાં હતો. હાલમાં જ બોલીવુડ સુપરસ્ટારના સંપર્કમાં આવ્યો જેને બોલીવુડ ડિવોર્સ એક્સપર્ટના નામથી પણ જાણે છે...જેણે અનેક મહિલાઓ અને બાળકોની જિંદગી બરબાદ કરી છે. હવે તે જ્ઞાનની રોશની અને લડાઈ કરાવનારી આન્ટી છે...આથી બધુ આરામથી થઈ ગયું...આ એક અંધ તુક્કો નથી...આપણે બધા જાણીએ છીએ કે તે કોણ છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube