મુંબઈ : બોલિવૂડ ક્વિન કંગના રનૌતે રવિવારે મણિકર્ણિકાની સક્સેસ પાર્ટીની ઉજવણી કરી. આ પાર્ટીમાં મીડિયા સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે અનેક ચોંકાવનારા નિવેદનો કર્યા. આ મીડિયા મુલાકાતમાં કંગનાએ રણબીર કપૂરની ભારે ઝાટકણી કાઢી પણ કરીના કપૂરના બહુ વખાણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાએ કરીના વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે તે ફર્ફેક્ટ વુમન છે. આજના સમયમાં જો કોઈ એક્ટ્રેસ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફનું પર્ફેક્ટ બેલેન્સ જાળવી શકી હોય તો એ કરીના કપૂર ખાન છે. તે બહુ સારી વ્યક્તિ છે અને મને તે પર્ફેક્ટ મહિલા લાગે છે. નોંધનીય છે કે હાલમાં કરીના કપૂર ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું મને કંગનાની બાયોપિક જોવામાં મજા આવશે અને હું તેની ફેન છે.


જોકે કરીના પર ફુલ વરસાવનાર કંગના ઇન્ટરવ્યૂ દરમિયાન રણબીર કપૂર પર બરાબર ભડકી હતી. હકીકતમાં રણબીરે એક ઇન્ટરવ્યૂમાં પોતાના રાજકારણમાં પ્રવેશ વિશે જવાબ આપ્યો હતો કે મારા ઘરમાં વીજળી છે, પાણી છે...તો પછી મારે રાજકારણમાં જવાની શું જરૂર? રણબીરના આ નિવેદનની ઝાટકણી કાઢતા કંગનાએ કહ્યું છે કે આ બહુ દુખદાયક છે કે જે દેશે તેમને સ્ટાર સ્ટેટસ અને બીજું ઘણું આપ્યું છે એના માટે રણબીરના દિલમાં જરા જેટલી પણ દરકાર નથી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...