નવી દિલ્હીઃ Kapil Sharma on Raju Srivastava Death News: 58 વર્ષની ઉંમરમાં બુધવારે સવારે રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટે જિમમાં હાર્ટ એટેક આવ્યા બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચારથી દુખી કોમેડિયન કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિવંગત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ માટે એક ભાવુક પોસ્ટ શેર કરી છે. કપિલે ધ કપિલ શર્મા શોના સેટથીરાજૂ સાથે એક તસવીર શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવુક થયો કપિલ
રાજૂ શ્રીવાસ્તવના નિધન પર કપિલ શર્માએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું- આજે પ્રથમવાર તમે રડાવ્યો છે રાજૂ ભાઈ. વધુ એક મુલાકાત થઈ જાત. ઈશ્વર તમને તેના ચરણોમાં સ્થાન આપે. તમે ખુબ યાદ આવશો. અલવિદા ઓમ શાંતિ. કપિલના આ પોસ્ટ પર રાજૂના ઘણા ફેન્સના રિએક્શન આવી રહ્યાં છે. કોમેડિયનના ફેન્સ દુખી છે. એક ફેને તેના માટે લાંબો મેસેજ કોમેન્ટ બોક્સમાં લખ્યો છે. ફેને લખ્યું- કોમેડીની દુનિયા માટે કાળો દિવસ! રાજૂ શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. તેમણે એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. કોઈપણ રાજૂની કોમેડીની માત્ર તુલના ન કરી શકે. કોઈ ડબલ મિનિંગ જોક્સ નહીં, કોઈ અપમાનજનક શબ્દ નહીં. તે બેસ્ટ હતા. રેસ્ટ ઈન પીસ લેજન્ડ.


Raju Srivastav લઈને Sidharth Shukla સુધી, નાની ઉંમરમાં દુનિયા છોડી જતા રહ્યાં


કપિલ શર્માની ફિલ્મો
કપિલ શર્મા પોતાની અપકમિંગ ફિલ્મ ઝ્વિગાટોમાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર નંદિતા દાસ છે. કપિલની સાથે ફિલ્મમાં શાહાના ગોસ્વામી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરને હાલમાં ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube