નવી દિલ્હીઃ કોફી વિથ કરણમાં પોતાની વાતોને કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદોમાં ફસાઇ ગયો હતો. આપત્તિજનક વાતોને કારણે હાર્દિક પંડ્યા ન માત્ર ટ્રોલ થયો પરંતુ મામલો બીસીસીઆઈ સુધી પહોંચી ગયો અને બોર્ડે તેનાપર કાર્યવાહી કરી હતી. દરેક તરફ વિવાદની ચર્ચા થઈ રહી હતી પરંતુ હવે પ્રથમવાર શોના હોસ્ટ કરણ જોહરે આ વિવાદ પર ટિપ્પણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કરણે કહ્યું કે, આ મામલા માટે તે પોતે જવાબદાર છે. કરણે કહ્યું, મારે કહેવું છે કે હું આ માટે ખુદ જવાબદાર છું. તે મારૂ પ્લેટફોર્મ હતું અને તે મારા ગેસ્ટ હતા. શોને કારણે થયેલી તમામ મુશ્કેલી અને વિવાદોને કારણે હું જવાબદાર છું. હું ઘણી રાતો સુધી જાગતો રહ્યો અને વિચારતો રહ્યો કે આ નુકસાનની ભરપાઇ કઈ રીતે કરવામાં આવે. મને કોણ સાંભળશે. આ બધુ મારા કંટ્રોલથી બહાર જતું રહ્યું છે. 


કરણે આગળ કહ્યું કે, તેણે સવાલ બંન્નેને કર્યા તે બધાને કરે છે. મહિલાઓને પણ આવા સવાલ કરે છે. પરંતુ જે જવાબ આવશે તેના પર તેનો કોઈ કાબુ રહેતો નથી. તેણે સફાઇ આપી કે પોસ્ટ પ્રોડક્શનમાં કંટ્રોલ રૂમમાં ઘણી મહિલાઓ છે પરંતુ કોઈને તેની વાતો પર આપત્તિ નથી. તેથી તેણે પણ ન વિચાર્યું કે, આ આપત્તિનજક હોય શકે છે. 


જે થયું તેના માટે તેને અફસોસ છે? આ વાત પર કરણે કહ્યું કે, આ બંન્ને ખેલાડીઓ પર જે થયું તેના માટે તેને અફસોસ છે. કરણે કહ્યું, લોકો કહે છે કે વિવાદને કારણે શોની ટીઆરપી વધી ગઈ છે. મને ટીઆરપીથી કોઈ ફેર પડતો નથી. અહીં સવાલ મારા કરિયરનો છે એક ઈંગ્લિશ શોને ટીઆરપી રેટિંગથી કોઈ ફેર પડતો નથી.