મુંબઈ : કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પત્ની સંજય કપૂર અને તેની 42 વર્ષની પત્ની પ્રિયા સચદેવના ત્યાં પુત્રજન્મ થયો છે. તેમણે બાળકની તસવીર શેર નથી કરી પણ તેનું નામ અઝારિયસ રાખ્યુ હોવાની ઘોષણા કરી છે. સંજય કપૂરે પત્ની કરિશ્માને ડિવોર્સ આપ્યા બાદ પ્રિયા સચદેવ સાથે એપ્રિલમાં લગ્ન કર્યા હતા અને હવે તે ફરીવાર પિતા બન્યો છે. પ્રિયાએ આ પહેલા હોટેલિયર વિક્રમ ચટવાલ સાથે લગ્ન કર્યા હતા. વિક્રમ અને પ્રિયાની એક દીકરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરિશ્મા તન્ના સાથે સની લિયોનીનો VIDEO થયો વાઇરલ, લાખો લોકોએ જોઈને ગુમાવ્યા હોંશ


[[{"fid":"196002","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ લગ્ન પ્રિયા સચદેવના બીજા અને સંજય કપૂરના ત્રીજા લગ્ન છે. સંજય કપૂરની પહેલી પત્ની ડિઝાઈનર નંદિતા મહતાની હતી. સંજયના બીજી પત્ની કરિશ્માથી દીકરો કિયાન અને દીકરી સમૈરા એમ બે બાળકો છે. કરિશ્માને તલાક આપ્યા બાદ પણ બાળકો સાથે સંજયને સારા સંબંધ છે. બંને બાળકો સાથે વેકેશન પર પણ જાય છે. જોકે હવે આ બાળકોના જીવનમાં સાવકા ભાઈની એન્ટ્રી થતા ઉથલપાથલ મચી ગઈ છે.


સંજય-કરિશ્માએ એપ્રિલ 2016માં તલાક લઈને 13 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. તેમના લગ્નજીવનમાં ભંગાણનું કારણ પ્રિયા સચદેવ હોવાનું મનાય છે. કરિશ્માએ પોતાના કેસમાં ફરિયાદ કરી હતી કે તે તેના ઘરમાં રહેતી હતી જેને કારણે તેને માનસિક યાતના ભોગવવી પડતી હતી. હાલમાં બંને બાળકોની કસ્ટડી કરિશ્મા પાસે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...