નવી દિલ્લી: સૂરોના સૌદાગર કહેવાતા કિશોર કુમારનો આજે જન્મ દિવસ છે. કિશોર કુમાર એક એવા અદભુત ગાયક કલાકાર હતા જેમણે દિલીપકુમાર, દેવ આનંદ, રાજકપુર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સહિતના બોલીવુડના મહાન અભિનેતાઓ માટે પોતાનો અવાજ આપ્યો, તેમના માટે ગીતો ગાયા. કિશોર કુમારની ખાસિયત એ હતી કે તેઓ દરેક કલાકારના અવાજ જેવો જ અવાજ કાઢીને ગીત ગાતા હતાં. કિશોર કુમારની ગાયિકી વિશે તો ઘણાં લોકો જાણતા હશે. પણ આજે તેમના જન્મદિવસે જાણીએ તેમના વિશેની કેટલી જાણી-અજાણી વાતો...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

ગોલ્ડન એરાના બોલિવુડના સિંગર, એક્ટર અને મલ્ટીટેલેન્ટેડ આર્ટિસ્ટ કિશોર કુમારનો જન્મ આજના દિવસે થયો હતો. શું તમે જાણો છો કે, બોલિવુડના ગીતોમાં નવા નવા પ્રયાગો કરનારા સદીના મહાન ગાયક કિશોર કુમારનું અસલી નામ શું હતું અને દેશના તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સામે મોટો પંગો લઈ લીધો હતો. ઘણાં ઓછા લોકો કિશોરદા અને તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી વચ્ચે થયેલા આ વિવાદ વિશે જાણતા હશે. મધ્યપ્રદેશના ખંડવામાં 4 ઓગસ્ટ 1929ના એક બંગાળી પરિવારમાં વકીલાત કરનારા એક એડવોકેટ કુંજી લાલ ગાંગુલીના ઘરે જ્યારે ત્રીજા અને સૌથી નાનકડા બાળકનો જન્મ થયો તો, તેનું નામ આભાસ કુમાર ગાંગુલી રાખવામાં આવ્યું હતું. આ જ આભાસ આગળ જઈને ભારતીય સિનેમા ઈન્ડસ્ટ્રીઝમાં મહાન ગાયક કિશોર કુમારના નામથી ઓળખવામાં આવ્યો.


કિશોર કુમારના કરિયરની શરૂઆત:
વર્ષ 1969માં નિર્માતા નિર્દેશક શક્તિ સામંતની ફિલ્મ આરાધનાના કિશોર કુમાર સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ બની ગયા. આ ફિલ્મમાં ‘મેરે સપનો કી રાની કબ આયેગી તુ’ અને ‘રૂપ તેરા મસ્તાના’ જેવા રોમેન્ટિક ગીતોને કિશોર કુમારને લોકોના દિલોના રાજા બનાવી દીધા. ‘રૂપ તેરા મસ્તાના’ માટે કિશોર કુમારને ગાયક તરીકે પહેલો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.

ચોમાસામાં જ કેમ વધે છે સર્પદંશના કેસો? 16 હજારથી વધુ ગુજરાતીને કરડ્યો કાળોતરો! જાણો સાપ કરડે ત્યારે શું કરવું

કેમ કિશોર કુમારે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સામે લીધો હતો પંગો?
કહેવાય છે કે, કિશોર કુમારને ઈન્દિરા ગાંધીના પ્રોપેગેન્ડા સંભાળનાર વિદ્યા ચરણ શુક્લા તરફથી ફોન ગયો હતો. ફોન કરીને તેમણે કિશોર કુમારને ઓફર આપી હતી કે, ઈન્દિરા ગાંધીના ઈમરજન્સીના 20 સૂત્રોના પ્રોગ્રામ માટે બનાવેલ ગીતોને અવાજ આપે. કિશોર કુમારે પૂછ્યું કે, તેઓ આ ગીત માટે શું કામ ગાએ. ત્યારે ફોન કરનારાએ કહ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રી વીસી શુક્લાનો આદેશ છે. આદેશ સાંભળતા જ કિશોર કુમાર ભડકી ગયા હતા અને ફોન બોલ્યા કે, ‘ચલ ભાગ....’


જેના બાદ ઈન્દિરા ગાંધીએ કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ લગાવ્યો હતો. એટલું જ નહિ, કિશોર કુમારના ગીતોના ગ્રામોફોન રેકોર્ડસના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1987માં કિશોર કુમારે નિર્ણય લીધો કે, તેઓ ફિલ્મોમાંથી સંન્યાસ લીધા બાદ પોતાના ગામ ખંડવા પરત ફરી જશે. પરંતુ સમયને કંઈક બીજુ જ જોઈતુ હતું. 13 ઓક્ટોબર, 1987ના રોજ તેમને એટેક આવ્યો હતો અને દુનિયાને અલવિદા કરી હતી. 

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

Sanjay Dutt ની પત્ની એક સમયે C ગ્રેડ ફિલ્મોમાં કરતી હતી 'ગંદુકામ' જાણો સંજુબાબાએ કેમ કરવા પડ્યા લગ્ન

Sherlyn નું ફિગર જોઈ જાણીતા ફિલ્મમેકરે તેની સામે કરી દીધું હતું લિંગ પ્રદર્શન! Pics જોઈ તમે પણ ચોંકી જશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube