મુંબઇ: હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેમને કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે લતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડતા ફરી દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.


નોંધનીય છે કે 92 વોઈસ નાઈટિંગેલ લતા મંગેશકરને 11 જાન્યુઆરી (મંગળવાર) સવારે કોરોના સંક્રમિત મળ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર તેમની તબિયત ખરાબ થઇ હતી અને તેમને  મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube