નવી દિલ્હી : લોકપ્રિય ભજન સિંગર અનૂપ જલોટાને હાલમાં જ 'બિગ બોસ 12'ના ઘરમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. અનૂપ જલોટા પોતાની શિષ્યા જસલીન મથારુ સાથે શોનો હિસ્સો બન્યા હતા. આ બંનેએ જ્યારે શોમાં સાથે ભાગ લેવાન જાહેરાત કરી હતી ત્યારે તેમના સંબંધની બહુ ચર્ચા થઈ હતી. જોકે, ઘરમાંથી બહાર નીકળતા અનૂપે જબરદસ્ત ખુલાસો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનૂપ જલોટાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે ''જસલીન મારી ગર્લફ્રેન્ડ નથી. લોકો મારા અને જસલીનના સંબંધોને ક્યારેય નહીં સમજે. તે મારી શિષ્યા છે અને હું તેનો ગુરુ છું. હું તેને સંગીત શીખવામાં મદદ કરું છું. અમારી વચ્ચે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ જેવો સંબંધ નથી. અમારી વચ્ચે કોઈ પ્રકારના રોમેન્ટિક કે શારીરિક સંબંધ નથી.''


BREAKING : 2019માં નહીં થઈ શકે અર્જુન અને મલાઇકાના લગ્ન કારણ કે...


અનૂપે તો જસલીનના પિતાને પોતાના જુના મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે ''હું જસલીન અને તેના પરિવારને બહુ લાંબા સમયથી ઓળખું છું. અમે ઘણીવાર એરપોર્ટ પર મળીએ છીએ અને હું તેમના ઘરે પણ ગયો છું. જોકે આ મુલાકાત દરમિયાન મારી અને જસલીન વચ્ચે ખાસ વાતો નહોતી થતી. જસલીન તો મારા પરિવારજનોને મળી પણ નથી''


'ઉતરન'ની ઇચ્છા થઈ ગઈ છે એટલી મોટી કે હિરોઇન તરીકે કરી રહી છે કમબેક


'બિગ બોસ'માંથી હકાલપટ્ટી મામલે અનૂપ જલોટાએ કહ્યું કે ''હું શાલિન રીતે રમત રમવા માગતો હતો અને આના કારણે હું ગેમમાં ટકી ન શક્યો. મેં મારી લાંબી કરિયરમાં બહુ નામના મેળવી છે અને હું લડાઈ નથી કરી શકતો. હું કોઈને ગાળ નથી આપી શકતો અને સાંભળી પણ નથી શકતો. હા, મારા માટે આ સફર બહુ યાદગાર રહી અને હું બધાને મિસ કરીશ.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...