નવી દિલ્હી: જો આપણે બોલીવુડના ગોલ્ડન એરાની વાત કરીએ તો ત્રણ ભાઇઓનું નામ ટોપ ટેન લોકોમાં સામે આવતું હતું. આ ત્રણેય ભાઇઓ હતા ફિરોઝ ખાન, સંજય ખાન અને અકબર ખાન. ત્રણેય ભાઇઓ તેમના સમયના જબરજસ્ત એક્ટર તો હતા સાથે ફિલ્મમેકિંગમાં પણ ત્રણેય સારૂ કામ કરતા હતા. હવે સંજય ખાન તેની બાયોગ્રાફી લોન્ચ કરવા જઇ રહ્યાં છે. આ બાયોગ્રાફીમાં આપણને ઘણા અજાણ્યા કિસ્સાઓ વાંચવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટર સંજય ખાન તેમની આત્મકથા ‘ધ બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઇફ’ના અનાવરણ માટે ઉત્સાહિ છે. જે વાંચકોને તેમની ફિલ્મો, પરિવાર અને અકસ્માત, જેમાં તેઓ બચી ગયા અને અન્ય ઘટનાઓથી રૂબરૂ કરાવશે. આ બૂક વિશે સંજય ખાનનો દાવો છે કે ફિલ્મ બનાવવા માટે આ એક મહાન બૂક છે. દિવાળી પહેલા આવતા રવિવારે મુંબઇમાં એક ભવ્ય સમારોહની વચ્ચે આ બૂકનું લોકાર્પણ કરવામાં આવશે.


એક્ટર, પ્રોડ્યૂસર અને ડાયરેક્ટ સંજય ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હકીકતો જણાવે છે, પરંતુ તેઓ સંપૂર્ણ વાર્તા કહેતા નથી. મારી આત્મકથા જણાવતા મને જે પ્રાપ્ત થયું તે લોકોને મારી સ્ટોરી અને હકીકતો કહેવા કરતા પોતાની જાતને શોધવાની એક પ્રક્રિયા હતી.’ હસ્તા હસ્તા તેઓએ કહ્યું કે, ‘શું ધ બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઇફનું શીર્ષક રસપ્રદ નથી?’


બોલીવુડના વધુ અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...