Mithilesh Chaturvedi Passes Away: મનોરંજન જગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હિન્દી સિને જગતના દિગ્ગજ કલાકારનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે 3 ઓગસ્ટના રોજ સાંજે દિગ્ગજ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીએ છેલ્લા શ્વાસ લીધા. મિથિલેશ લાંબા સમયથી હ્રદયની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ થોડા સમય પહેલા મિથિલેશને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેઓ સારવાર માટે પોતાના હોમ ટાઉન એટલે કે લખનઉ શિફ્ટ થયા હતા. અનેક કોશિશ છતાં મિથિલેશનો જીવ બચી શક્યો નહીં. તેમણે ગઈ કાલે દુનિયાને અલવિદા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાઈએ આપી જાણકારી
મિથિલેશ ચતુર્વેદીના નિધનના સમાચાર તેમના જમાઈ આશીષ ચતુર્વેદીએ આપ્યા. તેમણે ફેસબુક પોસ્ટ  દ્વારા મિથિલેશ વિશે જાણકારી આપી. તેમણે અભિનેતાની કેટલીક તસવીરો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું કે તમે દુનિયાના સૌથી સારા પિતા હતા. તમે મને જમાઈ નહીં પરંતુ એક પુત્રની જેમ પ્રેમ આપ્યો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. આ પોસ્ટ સામે આવતા જ બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 



દમદાર અભિનય
મિથિલેશ ચતુર્વેદીની એક્ટિંગ કરિયર વિશે વાત કરીએ તો તેમણે અનેક બોલીવુડ ફિલ્મોમાં ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું હતું. તેમણે જાણીતી ફિલ્મો જેમ કે ફિઝા, કોઈ મિલ ગયા, સત્યા, ગદર એક પ્રેમકથા, બંટી ઓર બબલી, કૃષ, તાલ, મોહલ્લા અસ્સી, રેડી માં કામ કર્યું છે. આ ઉપરાંત મિથિલેશે વેબ સિરીઝ સ્કેમ 1992: ધ હંસલ મહેતા સ્ટોરીમાં પણ કામ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube