નવી દિલ્હી : સલમાન ખાન ‘લવરાત્રિ’થી તેના બનેવી આયુષ શર્માને લોન્ચ કરી રહ્યો છે. જોકે, વિરોધ થવાના લીધે હવે આ ફિલ્મનું ટાઈટલ બદલાવીને 'લવયાત્રી અ જર્ની ઓફ લવ' કરી દેવાયુ છે. નોંધનીય છે કે ભારતભરમાં વિવિધ સંગઠનો દ્વારા આ પહેલા પણ ફિલ્મના ટાઈટલ અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો કારણ કે તેનું નામ હિંદુ ધાર્મિક તહેવારોને મળતું આવે છે. હવે સલમાને ટ્વિટ કરીને ફિલ્મના નવા ટાઈટલ વિશે જણાવ્યું હતું. નોંધનીય છે કે આ પહેલા પણ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’ને લઈને રાજપૂતોએ ભારે વિરોધ નોંધાવતાં તેનું નામ બદલીને ‘પદ્માવત’ કરી દેવાયું હતું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...