નવી દિલ્હી : ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે કે લોકોએ તેમને સલાહ આપી છે કે ફેમિલી ડ્રામાવાળી ફિલ્મ ન બનાવવી જોઈએ કારણ કે આવી ફિલ્મોને દર્શકો નથી મળતા. ફિલ્મ નિર્માતા હમ આપકે હૈં કૌન, હમ સાથ-સાથે હૈં તેમજ પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમણે મોટાભાગની ફિલ્મો સલમાન ખાન સાથે બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Box Office પર દોડી મણિકર્ણિકા, કરી આટલી કમાણી


સૂરજ બડજાત્યાએ કહ્યું છે કે બોલિવૂડમાં હવે બહુ ઓછા લોકો એવા છે જે પારિવારીક ફિલ્મ બનાવે છે. હું આગામી ફિલ્મ ‘હમ ચાર’ રાજશ્રી ફિલ્મ્સના બેનર હેઠળ બનાવીને બહુ ખુશ છું. આ ફિલ્મમાં અંશુમાન મલ્હોત્રા, પ્રીતિ કમાની, સિમરન શર્મા તેમજ તુષાર પાંડે છે. આ ફિલ્મ 15 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ટક્કર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોય સાથે થવાની છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...