Box Office પર દોડી મણિકર્ણિકા, કરી આટલી કમાણી

આ ફિલ્મમાં કંગના રનૌતની એક્ટિંગના બધા વખાણ કરી રહ્યા છે

Box Office પર દોડી મણિકર્ણિકા, કરી આટલી કમાણી

નવી દિલ્હી : ગણતંત્ર દિવસના પ્રસંગે રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા રિલીઝના ત્રીજા અઠવાડિયે પણ સારી એવી કમાણી કરી રહી છે. વર્લ્ડવાઇડ બીજા અઠવાડિયે જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લેનાર આ ફિલ્મ ભારતમાં પણ બહુ જલ્દી 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરવાની છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનનારી આ ફિલ્મે ભારતમાં 17 દિવસમાં 91.70 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મની કમાણીની જાણકારી આપી છે. 

— taran adarsh (@taran_adarsh) February 11, 2019

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વંશવાદનો વિરોધ કરનારી કંગના તેની જાતને બોલિવૂડમાં આઉટસાઇડર માને છે. તેની ફરિયાદ છે કે તે બોલિવૂડમાં કોઈ ગ્રુપનો હિસ્સો ન હોવાના કારણે તેની ફિલ્મ મણિકર્ણિકા સફળ થઈ હોવા છતાં કોઈ સ્ટારે પ્રતિક્રિયા નથી આપી. કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આમિર ખાન, આલિયા ભટ્ટ અને ટ્વિન્કલ ખન્ના જેવા સેલિબ્રિટી સ્વાર્થી છે. કંગનાએ કહ્યું હતું કે આલિયા મને તેની ફિલ્મ રાઝીનું ટ્રેલર મોકલ્યું હતું અને મને એ જોવાની વિનંતી કરી હતી. ટ્રેલર જોયા પછી મેં મેઘના ગુલઝાર અને આલિયાને ફોન પણ કર્યો હતો. મારા માટે એ આલિયા કે કરણ જોહરની ફિલ્મ નહીં પણ સહમત ખાન નામની દેશ પર કુરબાન થનાર છોકરીની સ્ટોરી હતી. જોકે મારી ફિલ્મ વિશે કોઈએ બે શબ્દ પણ નથી ક્હ્યા. તેમને ડર છે કે જો તેવું કરશે તો કંગનાની ફિલ્મ કદાચ વધારે હિટ થઈ જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news