Amitabh Bachchan: કોન બનેગા કરોડપતિની 16 સિઝનના એક એપિસોડમાં અમિતાભ બચ્ચનને પોતાના શાનદાર કરિયર વિશે અને પોતાની સૌથી પ્રિય અભિનેત્રી વિશે વાત કરી હતી. સાથે જ તેણે જણાવ્યું કે એવી કઈ અભિનેત્રી છે જે તેને ખૂબ જ ગમતી હતી અને તેની સાથે કામ કરવું હતું પરંતુ તે શક્ય બન્યું નહીં. આ અભિનેત્રી સાથે કામ ન કરવાનો અફસોસ અમિતાભ બચ્ચનને આજે પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:સલમાન નહીં.. આ સુપરસ્ટારનો બચ્ચન પરિવાર સાથે 36નો આંકડો, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની


કોન બનેગા કરોડપતિના એક એપિસોડમાં વિદ્યા બાલન અને કાર્તિક આર્યન પહોંચ્યા હતા. આ બંને કલાકારો સાથે વાતચીત કરતી વખતે અમિતાભ બચ્ચનને લેજેન્ડરી એક્ટ્રેસ મીનાકુમારી અને વહીદા રહેમાન વિશે વાત કરી હતી. અમિતાભ બચ્ચનને ફિલ્મ પ્યાસાના વહીદા રહેમાનના એક સીનને યાદ કર્યો હતો. જેને અમિતાભ બચ્ચન પર છાપ છોડી દીધી હતી. સાથે જ તેમણે 1962 ની હીટ ફિલ્મ સાહેબ બીબી ઓર ગુલામ વિશે વાત કરી મીનાકુમારીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મીનાકુમારી સાથે કામ ન કરી શકવાનો અફસોસ તેમને આજે પણ છે.


આ પણ વાંચો: Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશી


અમિતાભ બચ્ચનને જણાવ્યું કે મીનાકુમારી સાથે કામ કરવાની તક ન મળી તે વાત આજે પણ તેમને અફસોસ કરાવે છે. તેમણે કહ્યું હતું કે સાહેબ બીબી ઓર ગુલામ નું ગીત ન જાઓ સૈયા... મીના કુમારી એ એવી રીતે રજૂ કર્યું કે તેઓ આ ગીતને વારંવાર જોતા રહેતા. અમિતાભ બચ્ચનને જણાવ્યું કે વહીદા રહેમાન તેમની પ્રિય અભિનેત્રી છે. 


આ પણ વાંચો:શાહરુખ ખાન બનવા ચાલ્યો વિકી જૈન, ફોજી 2 થી એક્ટિંગની દુનિયામાં કરશે એન્ટ્રી


અમિતાભ બચ્ચન ની વાત સાંભળીને વિદ્યા બાલન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મહત્વનું છે કે વિદ્યા બાલન અને કાર્તિક આર્યન તેમની ફિલ્મ ભૂલભૂલૈયા ના પ્રમોશન માટે કોન બનેગા કરોડપતિમાં પહોંચ્યા હતા. રજા બાલન અને કાર્તિક આર્યન ની આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.