ઝી બ્યુરો/મુંબઈ: અભિનેત્રી રાણી મુખર્જી લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. પરંતુ તેના ચાહકોની સંખ્યા આજે પણ નથી ઘટી. લાંબા સમય બાદ રાની ફરી એકવાર ફિલ્મમાં નજર આવશે. તેની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે રિલીઝ માટે તૈયાર છે. રાણીની ફિલ્મોની તેના ચાહકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલ રાણી તેના એક જૂના નિવેદનના કારણે ચર્ચામાં છે જે તેણે કરીના કપૂર ખાન માટે આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે ઘડ્યો છે આવો પ્લાન


રાણીની આ વાતથી કરીના થઈ ગઈ શોક્ડ
વાત કોફી વિથ કરણના એ એપિસોડની છે જેમાં રાણી મુખર્જી અને કરીના કપૂર ખાન નજર આવ્યા હતા. બંનેએ આ એપિસોડમાં ખૂબ મસ્તી કરી હતી. ત્યારે કરણે રાણી મુખર્જીને સવાલ કર્યો કે, એવી કઈ વસ્તુ છે જે કરીના પાસે છે પણ તેની પાસે નથી? રાણીએ તરત જવાબ આપ્યો શાહિદ કપૂર. રાણીનો જવાબ સાંભળીને કરીનાનું તો જાણે મોં ખુલ્લુ રહી ગયું હતું, અને કરણ પણ શોક થઈ ગયો હતો.


ગભરાતા નહીં! મૃત્યું પછી લાશને કેમ ઘરમાં નથી રખાતી એકલી? આવા છે ભયાનક કારણો...!


આ જ સવાલ જ્યારે કરીનાને પુછવામાં આવ્યો તો કરીનાએ કહ્યું યશ ચોપરા. એટલે કે રાણી મુખર્જીના સસરા. આ ઈન્ટરવ્યૂ થયો ત્યારે રાણી યશરાજ બેનરની વીર-ઝારા, સાથિયા, હમતુમ, બંટી બબલી, મુજસે દોસ્તી કરોગે, સાથિયા અને લાગા ચુનરી મે દાગ જેવી ફિલ્મો કરી ચુકી હતી. અને હવે તો તે ચોપરા ખાનદાનની વહૂ છે.


અહીં ધૂળેટીના દિવસે પ્રગટાવાય છે હોળી,આવનારૂ વર્ષ કેવું રહેશે તેનો મળે છે સચોટ ચિતાર


મહત્વનું છે કે, રાણી મુખર્જીની ઈમોશનલ ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે 17 માર્ચે રિલીઝ થવાની છે. જેમાં તેની સાથે અનિર્બાન ભટ્ટાચાર્ય, જિમ સર્ભ અને નીના ગુપ્તા પણ છે. લાંબા સમય બાદ રિલીઝ થયેલી ફિલ્મની રાણીના ચાહકો રાહ જોઈ રહ્યા છે.