Shipa Shirodkar: શિલ્પા શિરોડકરે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે 90ના દાયકામાં તેને ખૂબ કામ મળતું હતું. અલગ-અલગ શિફ્ટમાં તે કામ કરતી હતી અને કામની કમી જ નહોતી. શિલ્પા શિરોડકર 90ના દાયકાની જાણીતી અભિનેત્રી રહી છે. તેણે ખૂબ કામ કર્યું છે. અનેક ટોચના કલાકારો સાથે નજર આવી ચુકેલી શિલ્પાએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પ્રસિદ્ધી મેળવી અને પૈસા પણ, પરંતુ અચાનક તેને કામ મળવાનું બંધ થઈ ગયું અને જોત જોતામાં તે પડદા પરથી ગાયબ થઈ ગઈ. હવે વર્ષો બાદ તેનું દર્દ છલકાયું છે. એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે કેવી રીતે તેને અનેક પ્રોજેક્ટ્સમાંથી કાઢી મુકવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જાડી' કહીને કરવામાં આવી બહાર-
એક ઈન્ટરવ્યૂમાં શિલ્પા શિરોડકરે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે 90ના દાયકામાં તેને ખૂબ કામ મળતું હતું. અલગ-અલગ શિફ્ટમાં તે કામ કરતી હતી અને કામની કમી જ નહોતી. પરંતુ જ્યારે તે કરિયર શરૂ કરવા માટે ઈન્ડસ્ટ્રીમાં આવી તો તેને જાડી કહીને અપશુકનિયાળ હોવા સુધીના મહેણાં સાંભળવા મળ્યા હતા. આ જ કારણે તેના હાથમાંથી બે ફિલ્મો જતી રહી. પરંતુ ત્યારે મિથુન ચક્રવર્તીએ તેની મદદ કરી અને ભ્રષ્ટાચાર ફિલ્મમાં કામ અપાવ્યું. જે બાદ શિલ્પાના કરિયરની ગાડી ચાલી નિકળી.


છૈયા છૈયા પહેલા નમ્રતાને થયું હતું ઑફર-
ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ એ પણ જણાવ્યું કે, શાહરુખ ખાનની દિલ સેનું ગીત છૈયા છૈયા પહેલા નમ્રતાને જ ઑફર થયું હતું. ખુદ ફરાહ ખાને તેને કન્સીડર કરી હતી. બાદમાં તેને લાગ્યું કે નમ્રતા થોડી જાડી છે અને તેને છોડીને મલાઈકાને લેવામાં આવી. પરંતુ આ ગીતથી રિજેક્ટ થયા બાદ શિલ્પાનું કરિયર પુરું થતું ગયુ અને તે પુરી રીતે ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ. હવે શિલ્પા પાછી તો ફરવા માંગે છે પરંતુ જ્યારે તે લોકો પાસે કામ માંગે છે તો તેને કહેવામાં આવે છે કે, તે દૂર રહે છે. એટલે તેને કામ નહીં મળે.