નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂનના રોજ પોતાના મુંબઇ સ્થિત ઘર પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી, અને હવે સુશાંતના પિતા કે કે સિંહની એફઆઇઆર બાદ બિહાર પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે. સુશાંત આત્મહત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. સુશાંત સિંહ સાથે અંતિમવાર તેમના મિત્ર સિદ્ધાર્થ પિઠાની સાથે વાત થઇ હતી. ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં સિદ્ધાર્થએ આ કેસમાં કેટલાક એવા નવા ખુલાસા થયા છે જેને સાંભળીને તમે પણ આશ્વર્યમાં પડી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધાર્થએ આ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સુશાંત શિવ ભક્ત હતા. તેમના ઘર પર મોટાભાગના પૂજા પાઠ તેમની માતા માટે થતા હતા. સુશાંતની સાથે સિદ્ધાર્થ અને કેટલાક મિત્ર પણ આ પૂજામાં ભાગ લેતા હતા. સુશાંત ડિપ્રેશન દરમિયાન મેડિટેશન પણ કરતો હતો. આ વાતનો ખુલાસો પણ સિદ્ધાર્થએ પોતાના ઇન્ટરવ્યુંમાં કર્યો છે.  


તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ પિઠાની તે વ્યક્તિ છે જેને સુશાંત સાથે છેલ્લે વાત કરી હતી. એક વર્ષ પહેલાં કોમન ફ્રેંડ દ્વારા સુશાંત અને સિદ્ધાર્થ પિઠાનીની મુલાકાત થઇ હતી અને બંને મિત્રો બની ગયા. સુશાંત સિંહે જે દિવસે આત્મહત્યા કરી હતી તે દિવસે સિદ્ધાર્થ તેના ઘરે હાજર હતો. આ ઉપરાંત સિદ્ધાર્થએ જ સુશાંતની ડેડ બોડી પંખા પરથી નીચે ઉતારી હતી. 


સુશાંત સિંહ રાજપૂત પોતાના આ મિત્ર સિદ્ધાર્થ પિઠાનીના સિમનો ઉપયોગ કરી રહ્યા હતા. સુશાંત સિંહના તે મિત્ર છે જેની સુશાંત સિંહ રાજપૂત સાથે છેલ્લીવાર વાત થઇ હતી અને તે તેના ઘરમાં રહેતો હતો. 


પોતાના આ ઇન્ટરવ્યૂંમાં સિદ્ધાર્થે એ પણ ખુલાસો કર્યો છે કે દિશાની આત્મહત્યા બાદથી જે પ્રકારે સમાચારો મીડિયામાં ચાલી રહ્યા હતા તેનાથી સુશાંત પોતાની છબિને લઇને ખૂબ ડિપ્રેશનમાં હતા. 


સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube