મુંબઇ: એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ જ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં નેપોટિઝમ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઘણી મોટી હસ્તીઓએ બોલીવુડમાં નેપોટિઝમની સમસ્યાને સ્વિકારી અને પોતાને તેનાથી પીડાય પણ છે. જેમાં કંગના રનૌત, વિવેક ઓબેરોય, સોનૂ ઇગમ અને સૈફ અલી ખાન પણ સામેલ છે. આ કડીમાં હવે મ્યૂઝિક ઇંડસ્ટ્રીમાં નેપોટિઝમને લઇને જાણિતા સિંગર અને કંપોઝર અમિત ત્રિવેદી (Amit Trivedi) એ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત ત્રિવેદી (Amit Trivedi) એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ઘણી ફિલ્મોમાં ગીત ગાયા અને કંપોઝ કર્યા છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે કહ્યું કે 'જ્યારે પણ હું આ ગીતોને મંચ પર પ્રસ્તુત કરીશ અને તેમને બતાવીશ, તો કોઇના મગજમાં સૌથી પહેલાં વસ્તુ સુશાંતની આવશે. કારણ જે પણ હોય પરંતુ તેમણે આ પગલુંભર્યું છે. હું તૂટી ગયો હતો અને મારું દિલ પણ તૂટી ગયું હતું. અમે ખૂબ બારિકાઇથી કામ કર્યું છે, એવામાં નુકસાન કઠિન છે.


અમિત ત્રિવેદી (Amit Trivedi)એ નેપોટિઝમ વિશે વાત કહ્યું કે 'નેપોટિઝમ બકવાસ છે. આ સૌથી સમય બરબાદ કરનાર વિષ્ય છે જે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ભાઇ-ભત્રીજાવાદ નામની કોઇ વસ્તુ નથી. આ ભાઇ-ભત્રીજાવાદ છે, તો ફક્ત એક્ટર અને અભિનેત્રી વચ્ચે છે. આ ક્યાંય નથી. કોઇના પિતા આ વાતથી પરેશાન નથી કે તેમનો પુત્ર નિર્દેશક અથવા સંગીત નિર્દેશક અથવા ગાયક છે. તમારો આ પ્રશ્ન અભિનેતાઓને પૂછવો જોઇએ. કોઇ બીજા આનાથી પરેશાન નથી. સંગીત ઉદ્યોગમાં ભાઇ-ભત્રીજાવાદ નામની કોઇ વસ્તુ નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube