મુંબઈ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેમજ ઐશ્વર્યા રાય એક તબક્કે એકબીજાના બહુ નજીક હતા. જોકે પછી સલમાનના ગુસ્સાના કારણે એશ તેનાથી અલગ થઈ ગઈ હતી. સલમાન અને એશે બ્રેકઅપ પછી ક્યારેય સાથે કામ નથી કર્યું. હવે આ સંબંધોની સોહેલ ખાને સ્પષ્ટતા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન અને ઐશ્વર્યાએ 19 વર્ષ પહેલાં 'હમ દિલ દે ચૂકે સનમ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી બંને એકબીજાની નજીક આવી ગયા હતા. આ બંને સાથે ફરવા લાગ્યા અને બંનેના પ્રેમનો અંત ત્રણ-ચાર વર્ષમાં જ આવી ગયો હતો. ઐશ્વર્યાએ બ્રેકઅપ વખતે સલમાન પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેણે અનેકવાર કહ્યું છે કે સલમાન મને મારતો હતો. જોકે સલમાને આ વાતને હંમેશા ખોટી ગણાવી છે.


લગ્ન પહેલાં આકાશ અંબાણી સ્વિત્ઝલેન્ડમાં કરશે ભવ્ય બેચલર પાર્ટી, બોલિવૂડના 'આ' બે સ્ટારની હાજરી કન્ફર્મ


હવે સલમાનના ભાઈ સોહેલ ખાને એવી માહિતી આપી છે જે લોકોને હજી સુધી ખબર નહીં હોય. સોહેલે કહ્યું છે કે હવે ઐશ્વર્યા કંઈ પણ કહે પણ એક સમય હતો જ્યારે તે સલમાન સાથે ફરતી હતી અને અમારા ઘરે પરિવારની જેમ આવતી હતી ત્યારે પણ તેણે આ સંબંધનો જાહેરમાં સ્વીકાર નહોતો કર્યો. સોહેલે પછી મોટો ધડાકો કરતા કહ્યું કે ઐશ્વર્યા જ્યારે વિવેક ઓબેરોય સાથે રિલેશનમાં હતી ત્યારે પણ તે સતત સલમાનના સંપર્કમાં હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...