મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ'નું ગીત 'નમો નમો' રિલીઝ થઈ ગયું છે. આ ગીત સાંભળીને તમે ચોક્કસ ભક્તિમાં તરબોળ થઈ જશો. આ ગીતને અમિત ત્રિવેદીએ ગાયું છે. 7 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મના આ ગીત કેદારનાથનું લોકેશન શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે, જેને કંપોઝ અને પ્રોડ્યુસ અમિત ત્રિવેદીએ કર્યું છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...