મુંબઈ : ગ્લેમર ઇન્ડસ્ટ્રી દૂરથી તો ભારે ઝાકઝમાળવાળી દેખાય છે પણ અંદરની હકીકત ઘણીવાર હલાવી દે છે. હાલમાં મળેલા સમાચાર પ્રમાણે તામિલ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પ્રિયંકાએ પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. પ્રિયંકાએ વલાસારાવક્કમ ચેન્નાઈ ખાતે આવેલા પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી છે. આ આત્મહત્યાનું કારણ પારિવારિક કલહ હોવાની માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"176913","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
તામિલ ટીવી શો વામસમમાં જ્યોતિ્કાનો રોલ કરીને લોકપ્રિય થયેલી પ્રિયંકા આ શોમાં બાહુબલિની એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન સાથે જોવા મળી હતી. પ્રિયંકાની આત્મહત્યાના સમાચાર સૌથી પહેલાં તેની નોકરાણીએ આપ્યા હતા. આ નોકરાણી જ્યારે બુધવારે સવારે પહોંચી હતી ત્યારે પ્રિયંકા પંખા પર લટકેલી હતી. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પતિથી અલગ રહેતી હતી. 


મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અને તેને કોઈ બાળક નહોતું. આ મુદ્દે તેના પારિવારીક ઝઘડા થતા હતા. પોલીસ આત્મહત્યાનું સાચું કારણ તપાસી રહી છે. પ્રિયંકા વામસમ સિવાય બીજી પણ અનેક તામિલ સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...