નવી દિલ્હી : બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર કરણ જોહરે પોતાનીા આગામી ફિલ્મ 'તખ્ત'ની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું ડિરેક્શન કરણ જોહર પોતે કરશે અને એને ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવશે. કરણ જોહરની આ ફિલ્મમાં કરિના કપૂર ખાન, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, રણવીર સિંહ, અનિલ કપૂર અને વિક્કી કૌશલ જેવા સ્ટાર્સ કામ કરશે. કરણ જોહરની આ ફિલ્મની વાર્તા મુઘલો પર આધારિત હશે પણ એનો પાયો સિંહાસન માટે બે ભાઈઓની લડાઈ હશે. 


કરણ જોહરે પોતે આ ફિલ્મનું એલાન ટ્વિટર પર કર્યું છે. કરણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'ઇતિહાસ સાથે જોડાયેલી આ એક અવિશ્વસનીય વાર્તા છે. રાજસી મુઘલ સિંહાસન માટે એક મહાકાવ્ય લડાઈ......વાર્તા એક પરિવારની, મહત્વાંકાંક્ષાની, લાલચની, વિશ્વાસઘાતની, પ્રેમની અને વારસાની..'.


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...