મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં પોલીસ તપસ કરી રહી છે. અભિનેતાના મોબાઇલ રેકોર્ડ પ્રમાણે તેણે પોતાનો છેલ્લો કોલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને લગાવ્યો હતો. પરંતુ બંન્નેએ કોલ રિસીવ કર્યો નથી. આ કેસને આગળ લઈ જતા પોલીસ બંન્નેની પૂછપરછ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે 13 જૂને રાત્રે 12 કલાક બાદ સુશાંતે રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કોલ કર્યો હતો, પણ બંન્નેએ જવાબ આપ્યો નથી. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને સવારે 6.30 કલાકે ઉઠ્યો હતો. સવારે 9.30 કલાકે તેણે બહેન સાથે ફોન પર વાત કરી હતી. આશરે 10.30 કલાકે સુશાંત પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને જ્યૂસ લીધુ અને ફરી રૂમમાં ગયો હતો. થોડા સમય બાદ નોકર લંચનું પૂછવા ગયો તો દરવાજો બંધ હતો અને અંદરથી કોઈ જવાબ મળ્યો નથી. સાથે રહેતા મિત્રો અને નોકરોએ સુશાંતને ફોન પણ કર્યો પરંતુ ફોન ન રિસીવ થતા બધા ડરી ગયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube