નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પીએમ મોદીને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફરીથી ગુહાર લગાવી છે. આ વખતે કિર્તીએ લખ્યું કે મારા પ્રિય સર, આ સમય આપણા માટે લોકમાન્ય તિલકની 'ન્યાયની ભાવના' નો અભ્યાસ કરવાનો છે જે તમને પ્રેરિત કરે છે. કૃપા કરીને મારું નિવેદન છે કે આ કેસ પર જેમ બને તેમ જલદી ધ્યાન આપો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્વેતાએ એક ઓગસ્ટના રોજ પણ પીએમ મોદીને ટ્વિટ કરીને ન્યાયની ગુહાર લગાવી હતી. શ્વેતાએ લખ્યું હતું કે હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને આ સમગ્ર કેસની તત્કાળ તપાસની અપીલ કરું છું. અમે ભારતની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ કરીએ છીએ અને કોઈ પણ કિંમત પર ન્યાયની આશા રાખીએ છીએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube