નવી દિલ્હીઃ મુંબઈમાં રહેતા વ્યક્તિઓમાં લગભગ કોઈ એવા હશે જે ગણેશોત્સવ દરમિયાન મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ (Lalbaugcha Raja)ના રાજાના દર્શન ન કરવા ઈચ્છતું હોય. આ મંડપ પર બોલીવુડના સિતારાઓની પણ લાંબી લાઇન જોવા મળે છે. દર વર્ષે અહીં ઘણા સિતારાઓ બાપાના દર્શન માટે પહોંચે છે. અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ હાલમાં લાલબાગના રાજાના દર્શન કરવા માટે પહોંચી હતી. ત્યાં તેણે બાપાના આશીર્વાદ લીધા, પરંતુ ભીડમાં તેના કોલ્હાપુરી ચપ્પલ ખોવાઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વરા ભાસ્કર બાપાના દર્શન કરવા લાલ કલરના શૂટમાં પહોંચી હતી. આ સૂટની સાથે તેણે કોલ્હાપુરી ચપ્પલ પહેર્યા હતા. પરંતુ ત્યાંથી પરત ફરતા સ્વરાએ ઉઘાડા પગે પરત આવવું પડ્યું હતું. 



સ્વરાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે કહેતી જોવા મળી રહી છે, 'આ હોય છે સાચી શ્રદ્ધા, યોગ્ય છે... ઉઘાડા પગે ભગવાનની પાસે ગઈ છું. આ કહેતા સ્વરાની કામ સામે આવી જાય છે. આ વીડિયોના કેપ્શનમાં સ્વરાએ જણાવ્યું છે કે, જો તમારા ચપ્પલ ન ખોવાય જાય તો અંતે મુંબઈના મુખ્ય લાલબાગના રાજાના દર્શન કેમ..'



મહત્વનું છે કે સ્વરા ભાસ્કર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માના ગણપતિ વિસર્જનમાં સલમાન ખાનની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. તેનો આ વીડિયો ખુબ વાયરલ થયો હતો.