નવી દિલ્હીઃ દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા મર્ડસ કેસે તમામને હચમચાવી દીધા છે. શ્રદ્ધા વાકરના લિવ ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ હત્યા બાદ તેના મૃતદેહના 35 ટુકડા કરી દીધા હતા. આફતાબે મેમાં શ્રદ્ધાની હત્યા કરી હતી અને શરીરના ટુકડા કરી ફ્રીઝમાં રાખી દીધા હતા. તે સતત 18 દિવસ સુધી મૃતદેહના ટુકડા લઈને જંગલમાં ફેંકી આવતો હતો. જ્યારથી આ હત્યાકાંડનો મામલો સામે આવ્યો છે, ત્યારથી દેશભરમાં આફતાબને કડકમાં કડક સજા આપવાની માંગ આપવામાં આવી રહી છે. આ વચ્ચે સ્વરા ભાસ્કરે મામલામાં ટ્વીટ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીને સજા આપવાની માંગ કરી
સ્વરા ભાસ્કર લખે છે કે તેની પાસે આ હચમચાવી નાખતી ઘટના માટે કોઈ શબ્દ નથી. તેમણે આરોપીને રાક્ષસ કર્યો છે. સ્વરાએ ટ્વીટ કર્યું- આ ઘટના ભયાનક, રૂવાંટા ઉભા કરી દેનાર અને દુખદ છે. તેના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. આ યુવતીની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો, જેને તે પ્રેમ કરતી હતી, જેના પર તે વિશ્વાસ કરતી હતી. આશા છે કે પોલીસ જલદી મામલામાં પોતાની તપાસ પૂરી કરશે અને તે રાક્ષસને આકરી સજા મળશે જેનો તે હકદાર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube