તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ સોઢી આખરે ઘરે પાછા ફર્યા છે. તેમને પાછા ફરેલા જોઈને તેમના ફેન્સ પણ ખુશખુશાલ છે. પરંતુ તેમણે આટલા દિવસ શું કર્યું તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી. પોલીસે દિલ્હીથી લઈને મુંબઈ સુધી પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ માહિતી મળી શકી નહતીં. હવે તેઓ પાછા ફરતા હવે કેટલીક વિગતો સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કર્યું 25 દિવસ?
પોલીસના જણાવ્યાં મુજબ ગુરુચરણ સિંહ વિશે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. 25 દિવસ સુધી તેઓ ક્યાં  હતાં અને શું કર્યું તે અંગે તેમણે રજેરજની માહિતી તેમણે જણાવી છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. ગુરુચરણ સિંહના પાછા ફરવાના કારણે તેમના પરિવારજનો પણ ખુશખુશાલ હશે. પરંતુ દિલ્હી પોલીસે શોધવા માટે ભારે જદ્દોજહેમત કરવી પડી. આવામાં તેમના ઉપર શું કોઈ કેસ થઈ શકે ખરો? એ તો આગળ જ ખબર પડી શકશે. જો કે દિલ્હી પોલીસ ગુરુચરણ સિંહની સત્તાવાર રીતે આ મામલે પૂછપરછ કરશે ત્યારે વધુ વિગતો સામે આવી શકશે. 


ગુરુચરણ સિંહે પૂછપરછમાં જણાવ્યું કે તેમણે દુનિયાદારીનો મોહ છોડી દીધો હતો. ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતા. તેઓ અમૃતસર, લુધિયાણા, અને અનેક શીખ ધર્મના તીર્થસ્થળો તથા શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતા.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube