Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 15 વર્ષોથી ટીવીની દુનિયામાં પોતાની ધાક જમાવી ચૂકેલા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલદી અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે શોના નિર્માતા લોકોના આ મનપસંદ શોમાં એકવાર ફરીથી શોના તમામ ગાયબ પાત્રોને દર્શકો સામે રજૂ કરી શકે છે અને આ  દિશામાં મેકર્સની ટીમે ગંભીરતાથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોમાં ફેરફાર અંગે જાણકારી આપતા સૂત્રોએ જણાવ્યું કે શોના નિર્માતા હવે શોમાં ગૂમ થયેલા પાત્રોને બહુ જલદી શોમાં પાછા લાવવાના છે અને તેઓ આ દિશામાં બહુ ગંભીરતાથી કામ કરી રહ્યા છે. ગોકુલધામ સોસાયટીમાં જલદી પહેલાની જેમ સભ્યો વચ્ચે મસ્તી જોવા મળી શકે છે. આ સાથે જ એવી જાણકારી સામે આવી રહી છે કે નીલા ફિલ્મ્સ પોતાના દર્શકોને ચોંકાવવા માટે અનેક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે. 


RRR ફિલ્મે રચ્યો ઈતિહાસ, 'નાટુ નાટુ' ગીતે જીત્યો બેસ્ટ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ


જ્યારે બબીતાજીએ કર્યો હતો આઘાતજનક ખુલાસો, 'તે વ્યક્તિએ મારા અન્ડરપેન્ટ્સમાં હાથ...


21 વર્ષની આ હોટ હસીનાએ કેમેરાની સામે જ બદલ્યા કપડાં, વીડિયો જોઈને પાગલ થઈ જશો


અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક અને રીટા ઉર્ફે પ્રિયા આહૂજાના પતિ માલવ રાજડાએ તાજેતરમાં જ ખુબ જ પોઝિટિવ નોટ પર શોને અલવિદા કરી હતી. આ ઉપરાંત તારક મહેતાનું પાત્ર ભજવનારા શૈલેષ લોઢા, ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ, અને છેલ્લા કેટલાક વખતથી દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી પણ શોમાંથી ગાયબ છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube