મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (taarak mehta ka ooltah chashmah) શો આટલા વર્ષો પછી પણ પોતાની લોકપ્રિયતા ટકાવી શક્યો છે. ટોપ 5 શોમાં તે સામેલ હોય છે. હાલમાં જ આ સિરિયલે 28 જુલાઈના રોજ 12 વર્ષ પૂરા કર્યા અને 3000 એપિસોડ પણ પૂરા કર્યા. આ એક માત્ર એવો શો છે જેના તમને ભાગ્યે જ કોઈ વખોડનારા મળશે. પહેલા એપિસોડથી જ લોકોએ આ શોને વખાણ્યો છે અને ભરપૂર પ્રેમ આપ્યો છે. જેઠા તરીકે દિલિપ જોશી અને દયા તરીકે દિશા વાકાણીએ શોમાં પ્રાણ ફૂંકી દીધા હતા. દિલિપ જોશી હજુ શો સાથે જોડાયેલા છે પરંતુ દિશા વાકાણીએ શો છોડી દીધો છે. છતાં આ શોની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે. આ જોડી ઉપરાંત બબિતા-ઐય્યરની જોડી પણ એટલી જ લોકપ્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજાઝ ખાનનો પંડિતોને 'ગાળો' બોલતો VIDEO વાયરલ, લોકોમાં આક્રોશ, ધરપકડની માગણી 


સિરિયલમાં મુનમુન દત્તા અને તનુજ મહાશબ્દે બબીતા અને ઐય્યરનું પાત્ર ભજવે છે. જેઠાલાલનો બબીતાજી પ્રત્યેનું ગાઢ આકર્ષણ પણ સિરિયલનો પ્લસ પોઈન્ટ ગણાય છે. સ્ટોરીમાં હવે વળાંક આવે તેવી શક્યતા છે. બબીતાજીના પતિ ક્રિશ્નન ઐય્યર જાહેર કરે છે કે તેમણે અને બબીતાએ નક્કી કર્યું છે કે તેઓ તેમના ગામ પાછા ફરશે. 


Hrithik Roshan ના માતાએ સુશાંત વિશે એક પોસ્ટ શેર કરી, મચ્યો જબરદસ્ત ખળભળાટ 


સિરિયલમાં હવે એ રસપ્રદ રહેશે કે બબીતા અને ઐય્યર ગોકુલધામ છોડીને જઈ રહ્યા છે તો શું જેઠાલાલ તેમને જતા રોકી શકશે? હાલ આ શોની વાત કરીએ તો એવી વાતો ચાલી રહી છે કે દિશા વાકાણી ઉર્ફે દયા કદાચ નવરાત્રિમાં કમબેક કરે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube