મુંબઈ : બોલિવૂડની બે મોટી દિગ્ગજ ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર છે.  25 જાન્યુઆરીના દિવસે કંગના રનૌતને લક્ષ્મીબાઈના રોલમાં ચમકાવતી મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી અને નવાઝુદ્દીન સિદ્દીકીને બાળ ઠાકરેના રોલમાં ચમકાવતી ઠાકરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાળ ઠાકરેના જીવન પર આધારિત છે. મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસીમાં કંગના સિવાય અંકિતા લોખંડે, તાહિર શબ્બીર તેમજ ડેની ડેન્ઝોગ્પા જેવા કલાકારો કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બંને ફિલ્મોની ટક્કર વિશે કંગનાએ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસીના મ્યુઝિક લોન્ચ વખતે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ''કોઈએ અમને અમારી ફિલ્મની રિલીઝ તારીખ બદલવા માટે સંપર્ક નથી કર્યો. મને લાગે છે કે ભારતમાં ફિલ્મ જોનારો વર્ગ બહુ વિશાળ છે અને એક જ દિવસે રિલીઝ થયેલી બે ફિલ્મો સારું પ્રદર્શન કરી શકે છે. અમારી પર તારીખ બદલવાનું કોઈ દબાણ નથી.''  


સલમાન ખાને 'ભાભી' સાથેના અર્જુનના રોમાન્સનો બદલો લીધો પિતા બોની કપૂરથી


નોંધનીય છે કે ઇમરાન હાશ્મી અભિનીત ચીટ ઇન્ડિયા પણ આ બે ફિલ્મો સાથે જ રિલીઝ થવાની હતી પણ હવે આ ફિલ્મ એક અઠવાડિયા પહેલા રિલીઝ થવાની છે. ઠાકરેમાં નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય રોલ ભજવી રહ્યો છે અને આ ફિલ્મમાં લાંબા સમય પછી અમ્રિતા રાવ પડદા પર જોવા મળશે. કંગના અને નવાઝુદ્દીન બંનેને તેમના રોલ માટે ભારે પ્રશંસા મળી રહી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...