નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સુશાંત સિહ રાજપૂત અને સારા અલી ખાનની આગામી ફિલ્મ 'કેદારનાથ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે. ટ્રેલરમાં સુશાંત અને સારાની કેમિસ્ટ્રી સારી જામે છે. આ ફિલ્મનું ટીઝર પણ લોકોને બહુ પસંદ પડ્યું છે. ગયા મહિને 29 ઓક્ટોબરે રિલીઝ થયેલા ટીઝરને અત્યાર સુધી 19,232,669 વાર જોવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાની હાજરીમાં સારાનો મોટો ખુલાસો : 'આ' એક્ટર સાથે કરવા છે લગ્ન


વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મની સ્ટોરી સામે વાંધો ઉઠાવ્યો છે, તેમનું માનવું છે કે ફિલ્મ લવ જેહાદનું સમર્થન કરે છે. 7 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પૂરમાં ફસાયેલી હિંદુ યુવતીને મુસ્લિમ બચાવે છે અને બંને વચ્ચે પ્રેમ પાંગરતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...