નવી દિલ્હી: ટીવી અભિનેતા જાગેશ મુકાતી (Jagesh Mukati)નું નિધન થયું છે. લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma)ની અભિનેત્રી 'મિસિસ હાથી'ની ભૂમિકા ભજવતી અંબિકા રંજનકર(Ambika Ranjankar)એ આ દુખદ સમાચારની જાણ સોશિયલ મીડિયા પર શેર કરીને કરી. જેમાં તેણે જણાવ્યું કે ટીવી અભિનેતા અને ગુજરાતી થિયેટર કલાકાર જાગેશ મુકાતીનું બુધવારે નિધન થયું. ટીવી અભિનેતા જાગેશ મુકાતી કે જેમને 'અમિતા કા અમિત', અને 'શ્રી ગણેશ' જેવી સિરિયલોથી બધા જાણે છે. તેમનું 10 જૂનના રોજ નિધન થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામે આવેલી જાણકારી મુજબ જાગેશને શ્વાસ લેવાની તકલીફ ઊભી થતા છેલ્લા 3-4 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેઓ અસ્થમાથી પીડિત હતાં. કહેવાય છે કે અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube