નવી દિલ્હીઃ અભિનેત્રી ઝાયરા વસીમ ફિલ્મી દુનિયાથી તો દૂર છે પરંતુ તેના નિવેદન અને તેની વિચારધારા તેને ચર્ચામાં રાખે છે. અભિનેત્રીએ હાલમાં દેશમાં જારી તીડ એટેક પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને કારણે તેને ખુબ ટ્રોલનો સામનો કરવો પડ્યો અને બાદમાં ઝાયરાએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ પણ કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર પર પરત ફરી ઝાયરા
પરંતુ હવે ફરીવાર ઝાયરા વસીમ ટ્વીટર પર આવી ગઈ છે. તેણે પોતાનું એકાઉન્ટ રીએક્ટિવેટ કરી લીધું છે. હવે એક યૂઝરે ઝાયરાને પૂછ્યું કે તે હવે ટ્વીટર પર પરત કેમ આવી છે. આ સવાલ પર ઝાયરાએ સીધો જવાબ આવ્યો કે તે એક માણસ છે. તે લખે છે- પરત એટલે આવી છું કે તે પણ એક માણસ છે. મારે પણ બ્રેક કે દૂર થવાની જરૂર પડે છે, જ્યારે કોઈ વસ્તુ અતિ થઈ જાય છે. 


હવે લોકડાઉન પછી લોકો કેવી રીતે કરશે ફ્લર્ટિંગ! Urvashi Rautela શેર કર્યો રસપ્રદ VIDEO


મહત્વનું છે કે ઝાયરા વસીમે 2019માં પોતાના ફિલ્મી કરિયરને છોડવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે તેના નિર્ણય પર ઘણા લોકોએ સવાલ કર્યો હતો, પરંતુ ઝાયરા પોતાના નિર્ણય પર ટકી રહી અને પોતાનો માર્ગ હંમેશા માટે બદલી દીધો છે.


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બોલીવુડના અન્ય સમાચાર