ગાંધીનગર: તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) ની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે.
 મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ વાવાઝોડા (Cyclone) ની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

'તૌકતે' ના લીધે દરિયામાં કરંટ સર્જાતા મોજા ઉછળ્યા, અનેક જગ્યાએ વરસાદથી ઠંડક પ્રસરી


મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં વાવાઝોડા (Cyclone) સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. 


આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube