ઉદય રંજન/અમદાવાદ: નરોડામાં વર્ષ 2022માં પરિણીત મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર પ્રેમીની ધરપકડ ઓરિસ્સાથી કરી છે. પરણીતાએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા પ્રેમીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી ફરાર થયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં દેખાતા આ શખ્સનું નામ પંકજ સાવ છે. જેણે પોતાની પરિણીત પ્રેમિકા મધુબેન ડામોરની હત્યા વર્ષ 2022 માં કરી હતી. છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી પંકજ સાવને ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ હાલો! ગુજરાતમાં આવે છે ચક્રવાત 'વણઝાર', જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહી


હત્યાના ઘટનાક્રમની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2022ના રોજ નરોડા જીઆઇડીસીમાં અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ નામની કંપનીના પ્લોટમાં મધુબેન ડામોર નામની પરિણીત મહિલાનું દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષ બાદ ઉકેલીને હત્યા કરનાર પ્રેમી પંકજ સાવની ધરપકડ કરી છે. પરિણીત પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. આરોપી ફરાર થઈને પહેલા રાજસ્થાનના કોટામાં પોતાના મામાના ઘરે છુપાયો હતો અને ત્યારબાદ ઓરિસ્સાના સોનપુર જતો રહ્યો હતો. જ્યાં મીઠાઈની દુકાનમાં કંદોઈ તરીકે કામ કરતો હતો. જેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. 


કરોડોનું ટર્નઓવર, હેલિકોપ્ટરના માલિક... આ છે દેશના સૌથી ધનવાન ખેડૂત, અંબાણી પણ પાછળ!


આ હત્યા કેસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મધુબેન ડામોર અને આરોપી પંકજ સાવ નરોડા GIDCમાં અર્ચિત ઓર્ગેનીકસ કંપનીમાં નોકરી કરતા હતા.. 2021માં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો..મધુબેન પરિણીત હતા અને તેમના 2 સંતાન હતા. બિહારનો પંકજ સાવ એકલો રહેતો હોવાથી મધુબેન ડામોર અને તેમના પતિ અમરતભાઈ ડામોરએ પંકજ સાવને ઘરે રહેવા બોલાવ્યો હતો. આ દરમ્યાન મધુબેન ડામોર અને પંકજ સાવને કઢંગી હાલતમાં અમરતભાઈ ડામોર જોઈ ગયા હતા જે બાદ આરોપી પંકજ સાવ ને ઘરેથી કાઢી મુક્યો હતો.


શું તમને ખબર છે? ભાદરવામાં લોકોનો નબળો પડે છે ઈમ્યુનિટી પાવર, આ જીવલેણ રોગનો છે ખતરો


આ બાદ આરોપી પંકજ સાવ પોતાની બહેનના લગ્નમાં બિહાર ગયો હતો. અને ત્યાં એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જેની જાણ મધુબેન ડામોર ને થતા તેને ઝઘડો કર્યો હતો. અને ત્યાર બાદ મધુબેન ડામોરે આરોપી પંકજ સાવ પોતાની સાથે લગ્ન કરવા ભાગી જવા માટે દબાણ કર્યું હતું.  જેથી આરોપી પોતાની સગાઈ તોડીને અમદાવાદ ફરી આવી ગયો હતો. ત્યારબાદ મધુબેન ડામોરે આરોપી પંકજ સાવને લગ્ન કરવાનું ટાળ્યું હતું અને વાયદા આપતી હતી. જેથી આરોપી પંકજ સાવે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું ત્યારે મધુબેન ડામોરે લગ્ન કરવા નો ઇન્કાર કરી દીધો હતો..જેથી ઉશ્કેરાઈ ગયેલા પંકજ સાવે પરણિત પ્રેમિકા મધુબેન ડામોર ની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.


ગુજરાતીઓએ કેવી રીતે ઉજવ્યો PMનો જન્મદિવસ? પૈસા બચાવવા મોદીએ લોકોને શું આપી સલાહ?


નરોડામાં મહિલાની હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપી પ્રેમીની ધરપકડ કરીને નરોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી. આ આરોપીને હત્યા બાદ કોને કોને મદદ કરી અને ક્યાં ક્યાં નાસતો ફરતો હતો તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.