ગુજરાતીઓએ કેવી રીતે ઉજવ્યો PMનો જન્મદિવસ? પૈસા બચાવવા મોદીએ લોકોને શું આપી સલાહ?

પ્રધાનમંત્રીએ ગાંધીનગરના વાવોલમાં શાલીન સોસાયટીના રહીશો સાથે મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી. સોસાયટીના રહીશોએ પોતાના ઘર લગાવેલી સોલાર જોવા માટે પણ પ્રધાનમંત્રી ગયા હતા

ગુજરાતીઓએ કેવી રીતે ઉજવ્યો PMનો જન્મદિવસ? પૈસા બચાવવા મોદીએ લોકોને શું આપી સલાહ?

PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ગાંધીનગરના વાવોલમાં શાલીન સોસાયટીના રહીશો સાથે મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી. સોસાયટીના રહીશોએ પોતાના ઘર લગાવેલી સોલાર જોવા માટે પણ પ્રધાનમંત્રી ગયા હતા અને તમામ રહીશોને સૌર ઊર્જાનું મહત્વ સમજાવ્યું હતું. જેની એક વીડિયો સામે આવ્યો છે.

  • સૌર ઊર્જાનું કેટલું મહત્વ?
  • PMએ કરી હતી મુલાકાત 
  • રહીશો સાથે કરી વાતચીત
  • પૈસાની બચત માટે આપી સલાહ

સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના વાવોલ પહોંચ્યા હતા. વાવોલની શાલીન-2 સોસાયટીમાં પહોંચી પ્રધાનમંત્રીએ સ્થાનિક રહીશો સાથે મુલાકાત કરી હતી. સૌર ઊર્જાનો ઉપયોગ કરતાં કેટલાક લોકો સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત પણ કરી હતી. જે ઘર પર સોલાર પેનલ લાગેલી છે તે ટેરેસ પણ પ્રધાનમંત્રી ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તો લાભાર્થી લોકો સાથે પ્રધાનમંત્રીએ જે વાતચીત કરી તેનો વીડિયો હાલ સામે આવ્યો છે.

  • લાભાર્થીઓ સાથે સંવાદ
  • રહીશો સાથે વાતચીત 
  • સોલાર પેનલ નિહાળી
  • ટેરેસની લીધી મુલાકાત
  • PM આવ્યાનો ઉત્સાહ
  • સંવાદનો વીડિયો 
  • વાવોલમાં PM મોદી 
  • શાલીન સોસાયટી

સોલાર પેનલના લાભાર્થીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીએ સૌર ઊર્જાના ફાયદા અને વીજ બિલમાં થયેલી બચત પર ચર્ચા કરી હતી.

  • સૌર ઊર્જાના સમજાવ્યા ફાયદા
  • વીજ બિલ બચત પર ચર્ચા
  • લાભાર્થીઓને સમજાવ્યું મહત્વ

તો રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે જે ફ્રી વીજળીના વચનો આપે છે તેને લઈ પણ પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથેના સંવાદમાં વાતચીત કરી. અને સરકારી તિજોરી ખાલી કર્યા વિના કેવી રીતે મફત વીજળી આપી શકાય તે સમજાવ્યું.

  • સૌર ઊર્જાનું કેટલું મહત્વ?
  • રહીશો સાથે કરી ચર્ચા 
  • બિલમાં કેવી રીતે થાય બચત?

મફતમાં મળેલી વીજળીથી પૈસાની બચત લાભાર્થીઓને થઈ રહી છે. જે પૈસા બચી રહ્યા છે તેને બેંકમાં જમા કરવા માટે પણ પ્રધાનમંત્રી અપીલ કરી.

  • પૈસા બચત કરવા સલાહ
  • 'દીકરીના નામે પૈસા મુકો'
  • મોટી બચત આવશે કામ

પ્રધાનમંત્રીએ સૌ લોકોને સોસાયટીમાં સ્વચ્છતા રાખવા, પાણીનો બચાવ કરવા અને વૃક્ષો વાવવા માટે પણ સલાહ આપી હતી.

  • સ્વચ્છતાનો આપ્યો સંદેશ 
  • વૃક્ષ વાવવા કરી અપીલ 
  • પાણી બચત કરવા સલાહ

મોદી સરકારની સૌલાર યોજનાથી ઘણા લોકોને ફાયદો થયો છે, વીજળીના ઉત્પાદનથી વીજ બિલ જીરો થયા છે અને ઉપરથી આવક પણ થઈ રહી છે. તો સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસીડી પણ આપે છે. રિન્યૂએબલ ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત ઘણુ આગળ વધી રહ્યું છે. જેમાં સૌર ઊર્જા સૌથી મોટો ફાળો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news