ઝી બ્યુરો/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માં અંબેનો મોહનથાળાનો પ્રસાદ વધુ પ્રિય હોય છે. મા અંબેના દર્શને આવેલા યાત્રિકો અચૂક માં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે. અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું હું સોગંધ ખાઉ છું કે... શાહને જાણનારા માને છે કે એ બોલે એ પાળે છે


અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચનો લોટ કકરુ બેષણ ,ખાંડ, શુદ્ધ દેશી ઘી,સાથે ઈલાયચીનો મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે.


કૃદરતના પ્રકોપથી શાન ઠેકાણે! હરીયાળું ગુજરાત બનાવવા 17 કરોડ વૃક્ષોનો ટાર્ગેટ મૂકાયો!


જ્યારે ટ્રસ્ટ દ્વારા આ 3 લાખ 25 હજાર  કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં એક લાખ કિલો કકરું બેસણ, દોઢ લાખ કિલો ખાંડ ,75 હજાર કિલો શુધ્ધ ઘી, અને 200 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે. જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે. 


60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન