રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી  5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકનું માથુ મળી આવતા લોકોમાં ફડક પણ પેસી છે. બાળકની ઓળખ અને તેના પરિવારજનો વિશે પોલીસે પુછપરછ ચાલુ કરી છે. બી ડીવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંધ શ્રદ્ધામાં બાળકની બલી ચડાવી હોવાની શંકાથી પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શું અંધશ્રદ્ધાની આડમાં લેવાયો બાળકનો ભોગ ?શું બાળકની બલિ ચઢાવી માથુ ફેંકી દેવાયું ? આખરે કોણ છે માસુમના હત્યારા ? શા માટે માસુમની ચઢાવાઈ બલિ? 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...