ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થઈ રહ્યો છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાક દરમિયાન  681 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 19 દર્દીઓના મૃત્યુ થયા છે. તો 563 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,999 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 1888 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 24 હજાર 601 દર્દીઓ સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 7 દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 4, વડોદરામાં 1, જુનાગઢ, મહેસાણા, પાટણ, ખેડા વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. 


રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 7510 છે. જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી 24601 લોકો સાજા થયા છે. તો મૃત્યુઆંક 1888 છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3 લાખ 88 હજાર 65 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 2 લાખ 51 હજાર 122 લોકો ક્વોરેન્ટીન છે. 
[[{"fid":"270536","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 202 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 191 અને વડોદરા શહેરમાં 46 કેસ સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાં પણ 26 કેસ સામે આવ્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube