ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 900ને પાર કરી ગઇ છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 965 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે પણ ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 206 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 877 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,36,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરતમાં કોરોના કેસની સંખ્યા 10,000ને પાર, છેલ્લા 19 દિવસમાં આટલા કેસ નોંધાયા


રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે 20 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, સુરતમાં 3, દાહોદમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1 અને જામનગરમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,96,393 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,94,223 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 2,156 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- વડોદરામાં કોરોનાના વધુ 79 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત નિપજ્યા


આજના રાજ્યમાં કુલ 965 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 206, અમદાવાદ કોર્પોરેશનમાં 186, સુરતમાં 79, વડોદરા કોર્પોરેશનમાં 69, રાજકોટ કોર્પોરેશનમાં 38, અમદાવાદમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ગાંધીનગરમાં 24, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 21, દાહોદમાં 19, કચ્છમાં 19, ભરૂચમાં 18, પંચમહાલમાં 16, સુરેન્દ્રનગરમાં 15, પાટણમાં 14, વલસાડમાં 14, અમરેલીમાં 13, જુનાગઢ કોર્પોરેશનમાં 13, ખેડામાં 12, તાપીમાં 12, વડોદરામાં 12, નવસારીમાં 11, રાજકોટમાં 11, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 10, મોરબીમાં 9, આણંદમાં 7, જામનગર કોર્પોરેશનમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 6, મહિસાગરમાં 5, અરવલ્લીમાં 4, જામનગરમાં 3, નર્મદામાં 3, બોટાદમાં 2, ગીર સોમનાથમાં 2, જુનાગઢમાં 2, છોટા ઉદેપુરમાં 1, પોરબંદરમાં 1 અને અન્ય રાજ્યમાં 0 કેસ નોંધાયા છે.


આ પણ વાંચો:- કોરોના કહેર: ભરૂચમાં એક દિવસમાં 27 કેસ, બનાસકાંઠામાં 21 પોઝિટિવ કેસ નોંધાયા


આ ઉપરાંત રાજ્યમાં 877 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 194, અમદાવાદ કોર્પોરેશનમાં 148, સુરતમાં 13, વડોદરા કોર્પોરેશનમાં 135, અમદાવાદમાં 19, ભાવનગર કોર્પોરેશનમાં 119, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 17, કચ્છમાં 15, પંચમહાલમાં 3, સુરેન્દ્રનગરમાં 11, અમરેલીમાં 7, જુનાગઢ કોર્પોરેશનમાં 9, ખેડામાં 17, તાપીમાં 5, વડોદરામાં 25, નવસારીમાં 24, ભાવનગરમાં 42, મોરબીમાં 2, આણંદમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, અરવલ્લીમાં 6, જામનગરમાં 3, ગીર સોમનાથમાં 6, જુનાગઢમાં 16, છોટા ઉદેપુરમાં 6, પોરબંદરમાં 1 અને અન્ય રાજ્યમાં 11 દર્દી ઘરે પરત ફર્યા છે.


રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 11,412 છે. જેમાં વેન્ટીલેટર પર 69 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 11,343 દર્દીઓ છે. જ્યારે 34,882 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 2147 પર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube