અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. જો કે આજે એક સાથે 998 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 777 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,48,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઇમબ્રાંચે મુંબઇના મોટા ડ્રગ ડિલરની ધરપકડ કરી, પત્નીને સાથે રાખી કરતો સપ્લાય


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 4,08,840 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,06,794 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2046 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 11613 એક્ટિવ કેસ છે. જ્યારે 78 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 11535 સ્ટેબલ છે. 35695 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2167 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 20 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 10, નવસારીમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગીર સોમનાથ 1, સુરતમાં 1 સહિત કુલ 20 લોકોનાં મોત નિપજ્યાં હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube