અર્પણ કાયદાવાદ/ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારની કેબિનેટમાં લેવાયેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટમાં લેવાયેલા યુનિફોર્મ સિવિલ કોડમામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી  પુરષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે.


આ અવસરે  કેન્દ્રીય મંત્રી  પુરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, અમે રામ મંદિરના નારા લગાવતા મોટા થયા હતા. કલમ 370ની વાત કરતા હતા. પરંતુ અમે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતા હતા. હું રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીને ખાસ અભિનંદન આપું છું. ક્રિમિનલ બાબતોમાં કોઈ અલગ કાયદો હોતો નથી, પણ મિલ્કત વહેંચણી અને અન્ય બાબતોમાં અલગ અલગ નિયમો હોવાથી અનેક વિવાદો થતા આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube