મૌલિક ધામેચા/અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો. સફાઈ કામદાર મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી. મહિલાની હત્યા કરનાર હત્યારાઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટિમો હવે કામે લાગી છે. પણ હત્યાને પગલે સફાઇ કામદાર સંગઠને કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ! આ વિસ્તારોમાં વરસાદે ગાભા કાઢી નાંખ્યા! જનજીવન પ્રભાવિ


નરોડા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અનિતાબેન વાઘેલાની સ્વપ્નિલ આર્કેડના બીજા માળે હત્યા કરેલી લોહી લુહાણ હાલતમાં ડેડ બોડી મળી આવતા નરોડા પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ કરતા મૃતક અનિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી.જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.


ગુજરાતમા ધો. 9થી 12માં વિદ્યાર્થીઓને 1.25 લાખની મળશે શિષ્યવૃત્તિ,કેવી રીતે કરશો અરજી


પોલીસની વાત માનીએ તો મૃતક અનિતાબેન વાઘેલા મંગળવાર સાંજે કામ પરથી ઘરે ન આવતા પરિવાર જનોએ ગુમ થયા ની જાણવાજોગ ફરિયાદ કરી હતી.નરોડા પોલીસે આ અંગે તપાસ કરી રહી હતી ત્યારે કંટ્રોલ મેસેજ આવ્યો અને સ્વપ્નિલ અર્કેડ માંથી અનિતા બેન વાઘેલાની હત્યા કરેલી હાલત માં લાશ મળી આવી હતી.


'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ


પરિવારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા ઘર અને ઓફિસોમાં સાફસફાઈનું કામ કરે છે અને હત્યા પહેલા છેલ્લે કોમ્પલેક્ષનાં પાંચમા માળે ઓફિસ માં કામ કરીને નીકડયાં હતા.ત્યારે હવે પોલીસે ૨ શકમંદો ની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. 


એશિયા કપનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર


બીજી તરફ સફાઈ કામદારોના સંગઠને પણ હત્યાને ગંભીર ગણાવી એક દિવસ કામથી અડગા રહી વિરોધ નોંધાયો હતો. જોવાનું એ રહ્યું કે હત્યારાઓ પોલીસના હાથે ક્યારે ઝડપાય છે ? અને હત્યા પાછળ શું કારણ સામે આવે છે.