તેજસ મોદી, સુરત: સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પોલીસ મથક નજીક આવેલી એક મિલમાં વહેલી સવારે આગ લાગી છે. આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે 18 જટેલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચ ગઇ છે. જો કે, આ આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પોલીસ કમીશનર કચેરીની સુરક્ષામાં છીંડા, મહિલા નકલી IPS બની કન્ટ્રોલ રૂમ સુધી પહોંચી ગઈ


પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મિલમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ ભીષણ આગ લાગવાના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા 18 જેટલી ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ભીષણ આગ લાગતા આખી મિલ ખાલી કરી દેવામાં આવી છે.


ગુજરાત હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધિશ તરીકે કોલેજિયમે કરી જસ્ટિસ વિક્રમ નાથની ભલામણ


જો કે, સદનસીબે આ આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આ મિલમાં કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ આગલને કારણે મોટી સખ્યામાં લોકો એકત્રીત થઇ ગયા હતા. જો કે, હાલ આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ત્યારે આ મિલામાં ફાયર ફાઇટરના સાધનો હતા કે નહીં તે પણ જોવાનું રહ્યું છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...