ચેતન પટેલ/સુરત: સુરતના સિંગણપોર પોલીસ મથકની મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. જેમાં સાથી પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમસંબંધ ચાલી આવ્યો હતો અને છેલ્લા દસ દિવસથી બંને સંપર્ક વિહોણા બનતા હતાશામાં આવી તેણીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યાનુસાર પોલીસ જવાનનું દોઢ માસ અગાઉ અકસ્માત થતાં પોતાના વતન ડાંગ ચાલ્યો ગયો હતો. જ્યાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બંને સંપર્ક વિહોણા બન્યા હતા અને તે દરમ્યાન તેણીએ અંતિમ પગલું ભર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બાદ ગુજરાતની આ યુનિવર્સિટી હરકતમાં! લેવાયો મોટો નિર્ણય


સુરતના સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષા ચૌધરીએ ગત 18મી માર્ચના રોજ મોડી સાંજે સીંગણપોર ખાતે આવેલ મહેશ્વરી એપાર્ટમેન્ટના પોતાના જ ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલાં તેણીએ સુસાઇડ નોટ લખી હતી.જે સુસાઇડ નોટમાં માત્ર"મેં વિશ્વાસ કરીને મોટી ભૂલ કરી"તે પ્રકારનું લખાણ લખ્યું હતી.જે સુસાઇડ નોટના આધારે સીંગણપોર પોલીસે અકસ્માત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


ગુજરાતમાં સેમીકંડક્ટર યુનિટ સ્થાપિત કરશે આ કંપની, શેર ખરીદવા લૂટ, કિંમતમાં તેજી


સિંગણપોર પોલીસ દ્વારા મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષા ચૌધરીની રૂમમેટ જીગીસાબેન ગામીતની પુછપરછ કરી હતી.જે પુછપરછમાં હર્ષા ચૌધરીનો અગાઉ સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરત સાયબર ક્રાઈમ શેલમાં કાર્યરત પ્રશાંત ભોંયે જોડે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું.જે હકીકત સામે આવતા સિંગણપોર પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ શેલમાં ફરજ બજાવતા પ્રશાંત ભોંયેની ઊંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. 


ગુજરાતમાં કકળાટ! કોણ છે ભાજપના સાંસદ રંજનબેન, જે ભાજપ માટે બન્યા માથાનો દુખાવો


સીંગણપોર પોલીસ મથકની પુછપરછ માં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,પોતે અને હર્ષા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ-સંબંધમાં હતા.દોઢ માસ અગાઉ બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયું હતું. જેના કારણે પોતે છેલ્લા દોઢ માસથી પોતાના વતન ડાંગ ખાતે ગયો હતો. પરંતુ ડાંગમાં મોબાઇલ નેટવર્ક ન આવવાના કારણે હર્ષા અને પોતે સંપર્ક વિહોણા બન્યા હતા. લગ્ન ઝડપથી થઈ જાય તે માટે અગાઉ હર્ષા ને ઉતાવળ કરી હતી. પરંતુ અન્ય જોડે લગ્ન કરી લઈશ તેવી ચિંતા હર્ષા ને સતાવી રહી હતી.પોલીસ સમક્ષ આપેલ નિવેદનને લઈ સિંગણપોર પોલીસ દ્વારા પ્રશાંત ભોંયેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. 


રાજકોટમાંથી ગાર્બેઝ ટીપર વાનની ચોરી; તંત્ર ચોરીથી અજાણ, મધ્યપ્રદેશ પોલીસે કરી જાણ


આ અંગે સુરત ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, હર્ષનાબેન ચૌધરીના આપઘાત કેસમાં સિંગણપોર પોલીસ મથકના પીઆઇ જાતે તપાસ કરી રહ્યા છે.ઘટનામાં સુસાઈડ નોટ મળી આવી હતી,જેમાં કોઈનો વ્યક્તિગત નામનો ઉલ્લેખ નહોતો.પરંતુ મૃતકના રૂમમેટ જીગીસા ગામીતની છપરછ કરતા પ્રશાંત ભોંયે અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું.પ્રશાંત ભોંયે અને મૃતક હર્ષના ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધ હતો તે જાતે પ્રશાંતે કબૂલાત કરી છે.પ્રશાંત લગ્ન કરવા ઉતાવળ કરી રહ્યો હતો,જેના કારણે બંને વચ્ચે નાના-મોટા ઝઘડા થતાં હતાં.


આવનારા 30 દિવસ આ રાશિવાળા માટે વરદાન સાબિત થશે, વિચાર્યું પણ નહીં હોય એવા લાભ થશે


લગ્ન કરવા માટે હર્ષના ચૌધરીએ સમય માંગ્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી બંને પ્રેમમાં હતા.બંને એકબીજા જોડે લગ્ન કરવાના હતા.અગાઉ અકસ્માત થયું હોવાથી પ્રશાંત પોતાના વતન ડાંગ ગયો હતો.જ્યાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બંને સંપર્ક વિહોણા બન્યા હતા.જેના કારણે હર્ષના ચૌધરી હતાશા અનુભવી રહી હતી.લગ્ન કરવાની ઉતાવળ કરતો પ્રશાંત અન્ય જોડે લગ્ન ન કરી લે તેવી પણ હર્ષના ચૌધરીને ચિંતા હતી.પ્રશાંત ભોંયે નું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે.કેસમાં જો દુષપ્રેરણા જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે.બંને ના પરિવારને પણ પ્રેમ પ્રકરણની જાણ હતી.


અમદાવાદના લિસ્ટેડ બુટલેગરને SMCના નિર્લિપ્ત રાયે આપ્યો ઝટકો! 3210 પેટી દારૂ પકડાયો


મહત્વનું છે કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાતને લઈ રહસ્યમય ઘેરાયું હતું.પરંતુ સુસાઇડ નોટ અને મૃતકની રૂમમેટની પુછપરછમાં સમગ્ર ઘટનામાં પ્રેમમાં હતાશા અનુભવી રહેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યાનું સામે આવ્યું છે.છતાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને જો દુષપ્રેરણાનો ગુનો બનતો હશે તો પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે તેવું પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.