ઝી બ્યુરો/સુરત: સુરતના જહાંગીરપૂરા વિસ્તારમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે. જહાંગીરપૂરા વિસ્તારમાં એક યુવકે યુવતીને 10માં માળેથી ફેંકી દઈને હત્યા કરી છે. જી હા...સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને 10મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? પરેશ ગોસ્વામીએ કર્યો મોટો ખુલાસો


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહે સીદી હબીબા બાનુને 10મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દીધી છે. હત્યાનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. જુનેદ નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે યુવતીની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. યુવતીએ હત્યારા યુવકના ભાઈ સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાદ ઈન્સ્ટાગ્રામ પર યુવતી તેના મોટાભાઈ જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ સાથે ફરી સંપર્કમાં આવી હતી. 


હવે નહી થાય વીજચોરી! ગુજરાતમાં 1.65 કરોડ લાગશે સ્માર્ટમીટર, 308 કરોડ રૂપિયા સરકારે..


ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી હતી. જે બાદ યુવકે યુવતી સાથે ઝઘડો કર્યો. તો યુવતીએ બચવા માટે ચપ્પુ વડે જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ પર હુમલો કર્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થઈ હતી. જો કેહત્યારા યુવકે યુવતી પાસેથી ચપ્પુ લઇને યુવતીને ઘરના દસમા માળની ગેલેરીમાંથી નીચે ફેંકી દીધી હતી. 


ટ્રેનમાં સાચવજો! ભાઈના લગ્ન માટે ટ્રેનમાં અમદાવાદ આવેલી બહેનના લાખોના દાગીના ગુમ


જેમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જે બાદ હત્યારો ઇજાગ્રસ્ત યુવક જાતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ કેસમાં હત્યારા યુવકની ધરપકડ કરી છે.