તેજસ દવે/મહેસાણા: આજે દશેરાના દિવસે બહુચરાજી મંદિરેથી માં બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી અને આ પાલખી યાત્રાની ખાસિયત એ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે. જેની અંદાજીત કિંમત 300 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટનાની આ છે વાસ્તવિકતા, ગઢવી આવશે નવારંગરૂપમાં


બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. 


હવે કોઈનુ કઈ નક્કી નથી! ગુજરાતીઓ પર મોટી ઘાત, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 7ના મોત


પાંચેક વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજીત કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવાની વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ મંદિર યથાવત રાખી છે.


'ડ્રગ્સની સામે અમે અભિયાન નહીં, જંગ છેડી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો!


ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા 300 કરોડને આંબી ગઇ છે. 


કાલોલ નજીક ભેદી બ્લાસ્ટથી ખળભળાટ! 25 કિ.મી સુધી મકાનો અને ફેક્ટરીની દીવાલો ધ્રુજી


આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે. હારમાં જડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણે આ હારને આખુ વર્ષ મંદિર સલામત સ્થળે રાખે છે.


ચક્રવાતી તોફાન હમૂન બન્યું ખતરનાક, આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ, IMDનું એલર્ટ


દશેરાના દિવસે જ મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હારને માતાજીના શણગારમાં લેવાય છે. જો કે, આવનાર લોકો આ હાર જોઇને અચંબિત થઇ જાય છે અને જયારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે ત્યારે માતાજીને અપાતું ગાર્ડ ઓફ ઓનરનો સમય એ અનોખી ક્ષણ બની જાય છે.


ગીરના જંગલમાં જોવા મળ્યું અદભૂત દ્રશ્ય, દરગાહ પર સિંહણે દુઆ માંગી હોય તેવું દેખાયું