જામનગર/મુસ્તાક દલ: ગુલાબનગર અખાડા ચોકમાં ગઇકાલ રાત્રે જૂની અદાવતનો ખાર રાખી દંપતિને પાડોશી દ્વારા આડેધડ છરીઓ ઝીકાઇ હતી. તેમાં દાઉદભાઈ સાંધાણી નામના ચાલીસ વર્ષીય યુવાનનું સારવારમાં મોડી રાતે મોત નિપજતાં હુમલો હત્યામાં પલટાયો હતો. મસાલો ખાઈ પિચકારી મારવા મુદ્દે બને પરિવાર વચ્ચે ડખો થયો હતો અને છરી પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, હવે શું કરશે પૂર્ણેશ મોદી? જાણો વિગત


આ હુમલાના બનાવમાં મોડી રાત્રે દાઉદભાઈ સાંધાણીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. કોઈ અનિચ્છીય બનાવ ન બને માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 


હમ ભી કિસી સે કમ નહી: અમદાવાદીઓએ તંત્રની 'અણી કાઢી' તો તંત્ર એ કાઢી કિલર બમ્પની!


હાલ પોલિસે આરોપી વિરૂદ્ધ ૩૦૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.