હેમલ ભટ્ટ/ગીર :ગીર જંગલની બોર્ડર પરના વલાદર ગામે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી કરવામાં આવે છે. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે હોમાફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મિક હીલિંગની ઉર્જાથી ખેતી થઈ રહી છે. આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા પર મીઠી મધુરી કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળીની વિવિધ ત્રણ જાતો સહિત 10 પ્રકાર કેરીનું સંપૂર્ણ પણે ઓર્ગેનિક ઉત્પાદન લેવાય છે.


GTUની ઓનલાઈન મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ, લોગ-ઈન ન થતા વિદ્યાર્થીઓ અટવાયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. ત્યારે કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની કૃષિ પદ્ધતિઓ અમલમાં છે. જે પૈકી પ્રાકૃતિક ખેતી અને તેમાં પણ હોમોફાર્મિંગ એટલે કે આદ્યાત્મિક શક્તિ આધારિત ખેતી પણ ખેડૂતો કરી રહ્યા છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લ્હાયમાં રાસાયણિક દવાઓનો ભરપૂર ઉપયોગ થાય છે, જે માનવજીવ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ત્યારે હવે લોકો સંપૂર્ણ શુદ્ધ ખેતપેદાશો મેળવવાનો આગ્રહ રાખી રહ્યા છે. ખેડૂતો પણ હવે ફરી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ગીર સોમનાથના જંગલ બોર્ડર પર આવેલા વલાદર ગીર ગામે આવી જ કંઈક વિશિષ્ટ ખેતી થઈ રહી છે. આમ તો સમગ્ર ગુજરાતમાં જૂજ ખેડૂતો જ આ પ્રકારની ખેતી કરે છે અને તે ખેતી છે હોમો ફાર્મિંગ અર્થાત આધ્યાત્મિક શક્તિઓની ઉર્જાની મદદથી થાય છે. જેને કોસ્મિક ફર્ટિલાઈઝર પણ કહેવામાં આવે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર